પૃથ્વીના પરિઘ અને વ્યાસ કેવી રીતે માપી શકાય ?

AVvXsEhG8iicirq4UGSGu4WLVQhlCqzD o 67drrPMRfpeyvxrSy9n aV9jsv DzhNQf1NL6CufIa n5FljSF9cLsJv1f5vJt7dhXMv9ZIQ2 AMBus mZLkymHJgpOkVEY0NuoTMzomxXOAtX7BSv569Xz3W2bfKx1rzfF TC6TpRDVaKbCPN5vSYApL ba53Q=w640 h334

પૃથ્વીનો પરિઘ વિષુવવૃત ઉપર 40075.16 કિલોમીટર છે. અને ધ્રુવીય પરિઘ 40008 કિલોમીટર છે. પૃથ્વીનો વ્યાસ એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની જોડતી પૃથ્વીની મધ્યરેખા 127561.1 કિલોમીટર છે. આ માપ જાણીતા છે. પરંતુ આવડી મોટી પૃથ્વીના આટલા ચોક્સાઇભર્યા કેવી રીતે નીકળી શકે છે ?

પ્રાચીનકાળમાં ગ્રીસમાં થઇ ગયેલા ઇરાસ્ટોથેન્સ નામના ગણિતશાસ્ત્રીએ પૃથ્વીના પરિઘનું સાચું માપ શોધેલું. તેણે એલેક્ઝાન્ડ્રીયાના પડછાયાના આધારે આ માપ શોધેલું. આ તેણે વર્ષનો લાંબો દિવસ પસંદ કર્યો . આ દિવસે બપોરે સૂર્ય એકદમ માથા ઉપર હોય . સૂર્ય માથા ઉપર છે તે કેવી રીતે જાણી શકાય ?

ઊંડો કુવો હોય તેમાં સૂર્યનું પ્રતિબિંબ વચ્ચોવચ પડે એટલે સૂર્ય બરાબર માથા ઉપર છે તેમ મનાય . તેણે એલેક્ઝાન્ડ્રીયા ના ટાવરનો બપોર પડછાયો લીધો.

આ વખતે ગ્રીસના સીન ખાતે સૂર્ય માથા પર હતો પરંતુ એલેક્ઝાન્ડ્રીયામાં માથા પર આવ્યો નહોતો . ટાવરનો પડછાયો ટાવર સાથે 7.2 અંશે ખૂણો બનાવતો હતો.

આ ખૂણો 360 અંશનો 50મો ભાગ ગણાય. તેણે સીન અને એલેક્ઝાન્ડ્રીયા વચ્ચેના અંતરને 50 વડે ગુણીને પૃથ્વીનો પરિઘ 40000 કિલોમીટર છે તેમ જાહેર કર્યું . આજે પણ આ માપ સાચા માપની વધું નજીક છે.
Picture of Aakash Kavaiya
Aakash Kavaiya

નામ આકાશ કવૈયા (Aakash Kavaiya) છે. વ્યવસાય માં Engineer છુ. ગુજરાતી બ્લોગ ઘણા વર્ષોથી ચલાવી રહ્યો છુ. એક શોખ તરીકે બ્લોગ ચાલુ કરેલો આજે એ શોખ ખાતર ચાલુ જ છે.